મેનેજીંગ કમિટિ બિલ્ડીંગના પુનઃવિકાસને લગતા નિતિ વિષયક નિર્ણય લેવા માટે તથા તેમાં આર્કીટેક્ટ/પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નિમણુંક કરવા માટે જન૨લ બોડી સમક્ષ એજન્ડા આઈટમ ૨જુ ક૨શે અને આ વિશેષ સામાન્ય સભામાં ઓછામા ઓછા ૭૫ ટકા સભ્યોની સંમતિથી પુનઃવિકાસ પ્રોજેકટ માટે આગળની તમામ જરૂરી કાર્યવાહી પગલા ભરવા માટે મેનેજીંગ કમિટિને અધિકાર આપવાનો રહે છે. અને આ બિલ્ડીંગના પુનઃવિકાસના નિતિપૂર્ણ નિર્ણયના સંદર્ભમાં સોસાયટીના તમામ સભ્યોને જાણ કરવાની રહે છે અને વિશેષ સામાન્ય સભામાં થયેલ નિર્ણય મુજબ મેનેજીંગ કમિટિ દ્વારા આર્કીટેકટ/પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નિમણૂંક કરી તે નિમણુંકની તારખથી બે મહીનાની અંદર પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરે છે અને તેવો રીપોર્ટ કેનેજીંગ કમિટિમાં સુપત્ત કરવામાં આવે છે આ પ્રોજેકટ રીપોર્ટમાં સભ્યોને પુરા પાડવામાં આવતા કાર્પેટ વિસ્તારનો સમાવેશ કરવાનો રહે છે તેમજ વૈકલ્પિક આવાસ અને ભાડાની ચુકવણી, ખાલી વિસ્તાર, બગીચો, પાર્કીંગ, મકાનની વિશિષ્ટતાઓ, સામાન્ય વિસ્તાર, મનોરંજન સુવિધાઓ અને સવલતો, કોર્પસ ફંડની જોગવાઈઓ અને બેંક ગે૨ેઢી, સમય, લાગુ કાયદાઓ હેઠળ જરૂરી તમામ કાયદાકીય સંસ્થાઓની મંજુરી/મંજુરીઓ મેળવવા માટે પુનઃવિકાસ પ્રોજેકટ પૂર્ણ કરવા માટેની મર્યાદા અને આવી અન્ય બાબતો વિગેરે આ પ્રોજેકટ રીપોર્ટમાં આવરી લેવાની હોય છે. અને ત્યારબાદ યોગ્ય ઠેકેદારો, બિલ્ડી, કંપની અથવા વિકાસકર્તાઓ પાસેથી ઓફર મંગાવવા આમંત્રિત કરવાના રહે છે અને ત્યારબાદ આવી ઓફી ઠેકેદારો, દિલ્હી, કંપની અથવા વિકાસકર્તાઓ પાસેથી મળ્યેથી તુરંતજ મેનેજીંગ કમિટિના સેક્રેટરીએ આ તમામ ઓફર્સ સોસાયટીના ઓફીસ બોર્ડ ઉપર સભ્યોની જાણ અને માહીતી માટે પ્રદર્શિત કરવાની રહે છે. અને ત્યારબાદ મેનેજીંગ કમિટિ દરેક ઠેકેદાર, બિલ્ડર અથવા ડેવલપર્સ દ્વારા મળેલ ઔહર અને દરેકની રજૂઆતો ધ્યાનમાં લીધા પછી તે મુજબ એક ડેવલપરની રી ડેવલપમેન્ટ માટે પસંદ કરવાના હોય છે અને સોસાયટીની વિશેષ સામાન્ય સભામાં મંજુર કરાવેલા નિયમો અને શરતોને આધિન, અને આર્કીટેકટ/પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની સલાહ સાથે વિકાસકર્તા સાથે વિકાસ કરાર કરવાનો રહે છે અને આ વિકાસ કરાર યોગ્ય સ્ટેમ્પડયુટી તથા રજીસ્ટ્રેશન થી ભરી નોંધી ધારા હેઠળ નોંધણી કરાવવાનો રહે છે. અને આ વિકાસ કરારમાં જુના બિલ્ડીંગનો પુનઃવિકાસ કેટલા સમયમાં કરવામાં આવશે તેમજ બેંક ગેરંટી જ કોઈ હોય તો સમાન રકમ જેટલી રકમ માટે પક્ષકારો સંમત થયા મુજબની, પુનઃવિકસીત ફલેટ સભ્યને સોંપવામાં આવે ત્યાં સુધી સભ્યોને મત વૈકલ્પિક આવાસ, અથવા ઢાલની જગ્યા અથવા કોઈપણ કોમ્બીનેશનની જગ્યાએ રોકડ રકમ આપવાનો, નોંધણી અધિનિયમ ૧૯૦૮ હેઠળ વિકાસ કરાર નોંધાવવાની, નવા સભ્યોના પ્રવેશની શરતો, વિકાસકર્તાને પુનઃવિકાસ પ્રોજેકટના ભાગ રૂપે બાકીના ફલેટો વેચવા અને અથવા તબદીલ કરવા, નિકાલ ક૨વાના અધિકા૨નો, કાર્પેટ વિસ્તા૨ દ૨ેક સભ્યને ફાળવવાનો, હાલના અને નવા સભ્યોને ફલેટસની ફાળવણી માટેની પ્રક્રિયાનો, વિકાસકર્તા વિકાસ કરારની કોઈપણ શરતનો ભંગ કરે તો વિકાસ કરાર સમાપ્ત કરવાની પ્રક્રિયાનો, અન્ય નિયમ્સ અને શરી જેવી કે વિકાસકર્તા દ્વારા આપવામાં આવતી સુવિધાઓ, કોર્પસ ફંડ જો કોઈ હોય તો, પ્રોજેકટ પૂર્ણ થવામાં વિલંબ માટે દંડની કલમનો, પુનઃવિકાસ પ્રોજેકટ માટે જરૂરી મંજુરીઓ મેળવવાનો, શીઈંગ ચાર્જીસ, કોમન ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ વર્કસ, ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ હેઠળ મેળવવી પડતી મંજુરીઓ વિગેરે બાબતોનો ઉલ્લેખ કરવાનો હોય છે. આ પુનઃવિકાસની કામગીરી દરમ્યાન મેનેજિંગ કીટીની લેખિત ૫૨વાનગી વગર વિકાસકર્તા બિલ્ડીંગ પ્લાનમાં કોઈપણ જાતનો સુધારો-વધારો કરી શકતા નથી. અને આ પુનઃવિકાસ હેઠળ બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ થાય કે તુરંતજ બિલ્ડીંગ યુઝ પરમીશન મળ્યેથી સોસાયટીના મેનેજીંગ કમિટિએ વિકાસ કરારમાં હાલના સભાસદોના લિસ્ટની યાદી જોડી હોય તે સભ્યોને તેમના ફલેટ ફાળવવાના રહે છે. અને જરૂરી હોય તો મેનેજીંગ કમિટિ વિકાસકર્તાને કમિટિમાં ઠરાવ પાસ કરી વિકાસકર્તાની હાલના સભ્યોને ફાળવવામાં આવેલ નવા એકમો સિવાયના એકમો વેચાણ, તબદીલ, ભાડે આપવા, મોર્ગેજ કરવા તથા કોઈપણ વ્યવહાર કરવા વિકાસકર્તાને અધિકૃત કરી શકે છે.
આ આખી પ્રક્રિયા દ૨મ્યાન સોસાયટી અગર તો એસોસીએશન તરફથી આ બિલ્ડીંગ પુનઃવિકાસ માટે લીગલ એડવાઈઝરની નિમણુક કરવી યોગ્ય ગણાશે. જેથી કરીને સોસાયટીની કિંમતી જમીન ડેવલપર્સને સોંપતા અગાઉ યોગ્ય સલાહ સુચન લઈ લખાણો કરી કાર્યવાહી પૂર્ણ કરી શકાય.
આ ડ્રાફટ નોટીફીકેશનમાં જણાવ્યા મુજબ કર્જન ઓર્થોરીટીમાં મ્યુનિસિપાલીટી, મ્યુનીસીપાલીટી કોર્પોરેશન, થામ પંચાયતો, શહેરી વિકાસ સત્તા મંડળોનો સમાવેશ થાય છે અને લાગુ કન્સન ઓથો૨ીટી પાસેથી બિલ્ડીંગ યુઝ પરવાનગી મેળવી લેવામાં આવે તે પછી બાંધવામાં આવેલી તથા બિલ્ડીંગ યુનિટસનો ચાર્જ સોસાયટી કે એસોસીએશને બનાવેલી મેનેજીંગ કમિટિને સોંપી દેવાનો હોય છે. અને સોસાયટી કે એસોસીએશનના જુના સભ્યોના ફલેટની જાળવણી ક૨વાની સત્તા મેનેજીંગ કમીટીની જ રહે છે. વિકાસકર્તા માત્ર વધારાના નવા ફલેટસની બાબતમાંજ તેમની રીતે નિર્ણય લેવાનો રહે છે. આશા છે કે, ગુજરાત મેંઈલના વાચકોને તથા મયુ૨ભાઈને તેમના પ્રશ્નનો સંતોષકારક ઉત્તર પ્રાપ્ત થયેલ હશે.