• માણેકચોક ખાણીપીણી વિવાદનો અંતઃ હવે મોજથી ટેબલખુરશી સાથે જમી શકાશે
    મુખ્ય શહેર 18-3-2023 01:07 PM
    અમદાવાદ

    અમદાવાદના જૂના અને જાણીતા માણેકચોકનું ખાણી પીણી બજાર અડધી રાતે પણ ધમધમે છે પરંતુ થોડા દિવસથી તે વિવાદમાં રહ્યું હતું. કારણ કે માણેકચોકમાં ચાર પાંચ દિવસથી લોકોને ટેબલ ખુરશી નહીં, પરંતુ જમીન પર બેસીને જમાડવામાં આવતા હતા. આ માટે કેટલાક વેપારીએ પોલીસ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો. આનું કારણ એ આપવામાં આવ્યું હતું કે ખાણીપીણી માટે લોકોની ભીડ વધતા ટેબલ ખુરશીઓ રસ્તાઓ પર ગોઠવવામાં આવતી હતી. તેથી સ્થાનિક લોકોની ફરિયાદ હતી કે તેમને આવવા જવામાં અને વાહન લઇને નિકળવામાં તકલીફ પડે છે. આ ફરિયાદને ધ્યાનમાં લઇને પોલીસે દબાણ હટાવવાની સૂચના આપી હતી. તેના વિરોધમાં વેપારીઓએ ટેબલ ખુરશી હટાવી લીધા હતા. તેથી જમવા આવનાર લોકોને નીચે પાથરણા પર બેસાડીને જમાડવામાં આવતા હતા. તેથી વિવાદ સર્જાયો હતો.

    જોક, પોલીસે શુક્રવારે માણેકચોકના વેપારીઓને રસ્તા પરથી વધારાનું દબાણ દૂર કરવા સમજાવીને એમ્બ્યુલન્સ પસાર થઈ શકે એટલો રસ્તો ખુલ્લો રાખવા જણાવ્યું હતું. જે વેપારીઓએ માની લેતા માણેકચોકના વિવાદનો સુખદ અંત આવ્યો હતો. પોલીસે શુક્રવારે રાત્રે વેપારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં વેપારીઓને સમજાવ્યા હતા. વેપારીઓ પોલીસ સાથે સહમત થાય હતા. વેપારીઓએ પોલીસને બાંહેધરી આપી હતી કે અંદરોઅંદર ચર્ચા કરીને વધારાના ટેબલ ખુરશી હટાવી દેવામાં આવશે તથા રાતે નિયમ મુજબ બંધ કરી દેવામાં આવશે. આમ વિવાદનો અંત આવ્યો હતો.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.