• મોરબી પુલ હોનારતઃ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આજે સમગ્ર ગુજરાતમાં શોક
    ગુજરાત 2-11-2022 06:07 AM
    • રાજ્યની સરકારી ઇમારતો પર રહેલા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે
    રાજકોટ

    મોરબી દુર્ઘટના મામલે આજે સમગ્ર રાજ્યમાં શોક પાળવામાં આવી રહ્યો છે. મૃતકોને શ્રદ્ધાંલતિ માટે રાજ્યમાં શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે સમગ્ર રાજ્ય સરકાર કોઈ મહત્વના લોકાર્પણના કામો કરશે નહિ અને આજે સમગ્ર સરકારી કચેરી પર રહેલા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

    31 ઓક્ટોબરના રોજ રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું હતું.  31 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ જેમાં નિર્ણય લેવાયો હતો કે સમગ્ર રાજ્યમાં રાજ્ય્યાપી શોક પાળવામાં આવે. રાજ્યની સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે. અને જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમ કરવામાં આવશે નહીં. 

    રાજકીય શોક દરમિયાન નિયમિતપણે રાષ્ટ્રધ્વજ લહેરાવાતો હોય છે અને અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ લહેરાયો. મોરબી ઘટનાને લઈને અમદાવાદના આઈકર વિભાગ અને અાકાશવાણી પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!