જેણે જન્મ આપ્યો કષ્ટવેઠી ,તે માં સાથે લગાવ હોય છે.
જેણે સમજાવી દુનિયાદારી,તે પિતા માટે લગાવ હોય છે.
જેણે હેતથી હાથ ફેરવ્યો,એ બહેન સાથે લગાવ હોય છે.
જેણે તકલીફોમાં ઉગાર્યા,એ ભાઈ માટે લગાવ હોય છે.
જયાં વિત્યા ઘણાં વર્ષો એ ઘર,ગલીઓનો લગાવ હોય છે.
જેની સાથે વિત્યુ બાળપણ,એ મિત્રોસાથે લગાવ હોય છે.
જેની સાથે ભણ્યા,એવા શાળામિત્રો સાથે લગાવ હોય છે.
જયાં ભણ્યા,તે શાળા-કોલેજ સાથે પણ લગાવ હોય છે.
જેણે નિઃસ્વાર્થ ભણાવ્યા,તે ગુરુજનો નો લગાવ હોય છે.
જે ભાષામાં થયા બોલતાં,તે માતૃભાષાનો લગાવ હોય છે.