• તરભના વાળીનાથ મહાદેવ મંદિરનો 5.32 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર
    મુખ્ય શહેર 23-9-2022 02:12 PM
    ગાંધીનગર

    રાજ્ય સરકાર દ્વારા તરભના વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે ગ્રાન્ટની ફળવણી કરવામાં આવી છે. 900 વર્ષ જૂના મંદિરનો જિણોદ્વાર કરવામાં આવશે. જે મંદિરના વિકાસ અને જિણોદ્વાર માટે રૂ.5.32 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે ૯૦૦ વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે. જ્યાં મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાની પાવન ભુમિમાં પ્રથમ રબારી સમાજની ગુરૂગાદીની સ્થાપના કરી હતી. જે વાળીનાથ મંદિર રબારી સમાજની ધર્મગુરૂનું ગાદી સ્થાન છે અને રબારી સમાજના લોકો ગુરૂગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજનિય ગણે છે. આ જગ્યાના વિકાસ માટે સરકાર દ્વારા 5.32 કરોડની રકમ ફાળવવામાં આવતા સમાજ આગેવાનોએ આ નિર્ણયને આવકર્યો હતો. વધુમાં આગામી સમયમાં અહી રોડ, યાત્રિ સુવિધા શેડ, પાર્કિંગ સહિતની વ્યવસ્થાનો વિકાસ કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!