• વિશેષ : અમારી સાચી મિલકત અમારા માબાપ છે
    આર્ટિકલ 30-8-2022 11:29 AM
    લેખક: રીટા મેકવાન
    જતીનભાઈ અને મમતાબેનનો સવારમાં સાત વાગ્યાનો દેવદર્શનનો નિયમ. બંગલાની બહાર બગીચાની પાછળ રાધાકૃષ્ણનું મંદિર. દરરોજ સવારે સાડા ૬ વાગે મંદિરે પહોંચી જ ગયા હોય. જતીનભાઈ ૬૨ વર્ષના અને મમતાબેન ૬૦ વર્ષના પણ બંને હજુ પણ સશક્ત હતા. તેમને સંતાનમાં એક દીકરો સુશીલ અને દીકરી સ્વાતી. સ્વાતિને ભણાવીને ૨૪ વર્ષની ઉમરે વિદાય કરી. સાસરામાં દીકરી સુખી હતી. સુશીલ ને પણ અમી સાથે પરણાવીને માબાપની જવાબદારીમાંથી મુક્તિ લીધી.

    સંતાનોના દામ્પત્ય જીવના જોઇને માતા પિતા ખુશ હતા, અમી ખુબ જ સંસ્કારી વહુ હતી. પુત્રથી પણ વધુ એવી લાડકી પુત્રવધૂ બની ગઈ હતી.જતીનભાઈની કરિયાણાની દુકાન હતી. દીકરો સ્નાતક સુધી ભણીને દુકાન પર બેસી ગયો હતો. કુટુંબનો એક વણલખ્યો નિયમ હતો કે સવારનો ચા નાસ્તો બધા એ સાથે બેસીને કરવાનો. દીકરી વર્ષમાં એક વખત વેકેશન ગાળવા અચૂક આવી જતી. 

    એક દિવસ મંદિરેથી પાછા ફરતા જતીનભાઈ ને છાતીમાં દુખાવો ઉપડ્યો.મમતાબેન ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એમને હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં નિદાન થયું. જતીનભાઈને હ્રદય રોગનો હળવો આંચકો આવ્યો હતો.પરિવારની સેવા જોઈ હોસ્પિટલના ડોક્ટર પણ બોલી ઉઠ્યા “જતીનભાઈ તમે ખુબ જ નસીબદાર છો”.

    ૧૦ દિવસ પછી જતીનભાઈ ઘરે આવી ગયા. બાદમાં મહત્વનો નિર્ણય કર્યો કોઈને પણ ખબર ન પડવા દીધી અને એમણે એમના નિર્યણને શબ્દરૂપ આપ્યું. પત્ર સ્વરૂપે.. દીકરા વહુને રૂમમાં બોલાવી આ પત્ર આપી દીધો. અને રૂમમાંથી પોતે બહાર નીકળી ગયા. પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો અને થોડું ઘણું અમારા ઘડપણ માટે આરક્ષીત રાખજો. કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ નહિ લંબાવવો પડે એ ધ્યાન રાખજો. બાકીની તમામ મિલકત મળી સમજીને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે મને માન્ય છે. હા એક ખાસ વાત...તમારી બાને આ વાતની જાણ નથી. જતીનભાઈ અને મમતાબેન બહાર બેસી સંતાનોના નિર્ણયની રાહ જોતા બેસી રહ્યા. મમતાબેન એટલું જ બોલ્યા કે “ મને મારા બાળકો,તે મના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર ભરોસો છે.’’ જતીનભાઈ બોલ્યા,“જોઈએ તારા સંસ્કાર શું કહે છે? આ બાજુ ત્રણ જણ પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા. બે સ્ત્રીએ જે વિચાર્યું તે આશ્ચર્યજનક હતું.એક સ્ત્રી જે ઘરની વહુ હતી તેણે તેના પતિને કહ્યું,“તમે જે નિર્ણય લેશો તે હું માથે ચઢાવીશ. તમારી સહધર્મચારીણી છું. સાચા અર્થમાં ધર્મ નિભાવીશ. બીજી સ્ત્રી આ ઘરની એક દીકરી હતી તેણે પોતાના ભાઈને કહ્યું,“ભાઈ આપણે બંને એક જ માની કુખમાંથી અવતર્યા છે. તું જે નિર્ણય લેશે તે મને માન્ય છે. હું સહોદરમાં ઉછર્યાનો ધર્મ નિભાવીશ.સુશીલ બંને સ્ત્રીઓને વહાલથી ભેટી પડ્યો.ત્રણેયની આંખમાં ચમક આવી એક અજબ વિશ્વાસની. તેઓ બહાર આવ્યા. સુશીલે અમીને કહ્યું, ‘‘અમી,જા રસોડામાં આજે લાપસી બનાવજે. હું આજે મને મળનાર મિલકતથી ખૂબ ખુશ છું’”. અને અમી રસોડામાં ચાલી ગઈ. દીકરાના વેણ સાંભળી માતાપિતાના ચહેરા પર ન સમજાઈ એવી રેખા ઉપસી આવી. સુશીલ અને સ્વાતી માતા પિતા પાસે આવ્યા. અમી રસોડામાંથી પતિનો નિર્ણય સાંભળવા આતુર બની. દીકરો ભાવુક હ્રદયે બોલ્યો,“પપ્પા, આ સ્થૂળ મિલકત સમય જતા ખૂટી જશે.પણ મારી સાચી મિલકત છે મારા માતા પિતા.મમ્મી તને તારા સંસ્કાર પર ભરોસો નથી? પપ્પા તમને મારા પર વિશ્વાસ નથી? અરે,મને તો કાંઈ જોઈતું નથી.મને તો મારા મા બાપ જ જોઈએ છે’’. આ સાંભળી માનું હદય ખુશીથી છલકાઈ ગયું.અને એમણે મીઠા ઠપકાના સૂરમાં જતીન ભાઈ ને કહ્યું,“મેં કીધું હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે.. જતીનભાઈ પણ રડવાનું ખાળી ન શક્યા.દૂર ઉભેલી અમી પણ પતિના નિર્ણયને આવકારીને હર્ષના આંસુ વહાવી દીધા જતીનભાઈએ કહ્યું, ‘‘અરે વહુ બેટા આજે તો ખરેખર લાપસી મુકો.આવી અમુલ્ય મારી મિલકતને કદી પણ વાસ્તુ દોષ નહીં જ નડે.’’
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!