આવી અસલ અરજી તથા સ્વઘોષણા સોગંદનામુ અને અપલોડ કરેલ પુરાવા અરજી ત્તારીખથી દિન-૭ માં સંબંધિત પ્રાંત કચેરીમાં મળે તે રીતે જમા કરાવવાના / મોકલવાના રહેશે.
અરજી સાથે નં.૬, ૭/૧૨, ૮-૪ જેવા અન્ય કોઈ દસ્તાવેજ અપલોડ કરવાના નથી.
નિયત નમૂના મુજબની કોઈપણ વિગત બાકી રાખેલ હશે અથવા જરૂરી વિગતો સ્પષ્ટ દર્શાવલ નહિ હોય અથવા મુદ્દો લખેલી હિ હોય તો અરજી દતરે કરવામાં આવશે.
અરજદારે ૧ અરજી માટે રૂા.૨,૦૦૦/૦૦ લેખે ફી સબંધિત જીલ્લાના “જીલ્લા ઈ-ધરા” માં જમા કરાવવાની રહેશે. જે નોન રીફન્ડેબલ રહેશે.
(૨). અરજીની ચકાસણી તથા શિરસ્તેદારની કામગીરી
શિરસ્તેદારે iORA@gujarat.gov.in વેબસાઈટ પર તેઓના Login માં ખેડૂત ભરાઈ પ્રમાણપત્ર માટે પ્રાપ્ત થયેલ અરજીની સંપૂર્ણ ચકાસણી કરવાની રહેશે. જરૂરી બાબતો/અરજીની વિગતો ચકાસી અરજીનો સ્વીકાર/અસ્વીકાર અંગે નિયત નમૂનામાં અરજદારને Email/SMS થી જાણ કરવાની રહેશે.
અરજદાર દ્વારા અરજી સહીતના અપલોડ કરેલ દસ્તાવેજો સબંધિત પ્રાંત કચેરીમાં મળે તે દરમ્યાન ઓનલાઈન રજુ થયેલ અરજી ઉ૫૨
ચકાસણી સહીતની આ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
અરજીની સંપૂર્ણપણે ચકાસણી કર્યા બાદ સ્વીકારેલ અરજી અંગે નિત નમુનાનું ચેકલિસ્ટ ભરી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવાપાત્ર છે કે કેમ તે ભાભને પોતાના સ્પષ્ટ અભિપ્રાય સહ આગળની કાર્યવાહી માટે અરજી પ્રાંત અધિકારીશ્રીના Login માં મોકલવાની રહેશે.
અરજદાર તરફથી ઓનલાઈન અરજી પ્રાપ્ત થયાબાદ મહત્તમ ૨ દિવસની મર્યાદામાં ઉકત તમામ કામગીરી શિરસ્તેદારે પૂર્ણ કરવાની
રહેશે.
(૩) પ્રાંત અધિકારીશ્રીની કામગીરી:
શિરસ્તેદારના Login માંથી પ્રાપ્ત થયેલ અરજી તથા ચેકલિસ્ટની ચકાસણી કરી, પ્રાંત અધિકારીએ ૧૦ દિવસની સમય મર્યાદામાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ઈસ્યુ કરવા / દફતરેનો નિર્ણય કરવાનો રહેશે.
ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા અંગેની અરજી પોગ્ય જણાયે આ પ્રમાણપત્ર ઈસ્યુ કરવા પાત્ર હોય તેવા કિસ્સામાં પ્રાંત અધિકારીશ્રીએ પ્રમાણપત્ર જનરેટ કરવાનું રહેશે.
અરજદાર તરફથી ઓનલાઈન પ્રાંત કચેરી ખાતે પ્રાપ્ત થયા બાદ ઉક્ત સમગ્ર પ્રક્રિયા પ્રાંત અધિકારીશ્રીએ ૧૫ દિવસની સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
(૪) નિર્ણયની જાણ:
ઓનલાઈન પ્રકરણની તપાસ બાદ, દફતરના કિસ્સામાં કારણો સાથે લેખિતમાં પત્ર તથા મંજુરીના કિસ્સામાં પ્રમાણપત્રની ઓનલાઈન (e-mail/sms થી) જાણ કરવાની રહેશે. તથા સહી સીકકાવાળીનકલ દિન-૩ માં ઈસ્યુ કરવાની રહેશે.
મહેસુલ તપાસણી કમિશ્નર કચેરી દ્વારા વખતો વખત ઓનલાઈન ઈસ્યુ કરેલ ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનું ઈન્સ્પેકશન કરવાનું રહેશે. તથા જે કિસ્સામાં આવું પ્રમાણપત્ર ખોટુ આપવામાં આવેલ માલુમ પડે તો આવુ પ્રમાણપત્ર રદ કરવા સબંધિત પ્રાંતને તુરતજ સુચના આપવાની રહેશે. તેમજ જો સોગંદનામું ખોટું કરવામાં આવેલ માલુમ પડે તો તેવા કિસ્સામાં ખોટું સોગંદનામું કરવા બદલ સબંધકર્તા સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯૨, ૧૯૫, ૧૯૬, ૧૯૭, ૧૯૮ અન્વયે ફોજદારી કાર્યવાહી કરવા પણ સૂચના આપવાની રહેશે.
આમ ઉપરોકત પરિપત્રમાં આપેલ કાર્યપધ્ધતિ, સુચનાઓ અનુસરવાથી જે તે ખાતેદારોને પોતાની જમીન બાબતે ઓનલાઈન ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર મળી શકશે જે કારણે ખાતેદારોને આ ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર મેળવવામાં જે તે સબંધિત મામલતદાર કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હતા અને પ્રમાણપત્ર મેળવવામાં વિલંબ થતો હતો તેમજ હાલાકીઓ ભોગવવી પડતી હતી તેનો અંત આવેલ છે અને ખેડૂત ખાતેદારોની ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર મેળવવાની કામગીરીઓ ઝડપથી પૂર્ણ થઈ શકશે અને ખેડૂત ખાતેદારો આ પ્રમાણપત્ર ઘરે બેઠા ઓનલાઈન મેળવી પોતાનો કિંમતી સમયનો બચાવ કરી શકશે.
આશા છે કે કાર્તિકભાઈને જાહેર જનતાને ઉપરોકત માહીતી ઉપયોગી થઈ પડશે.