• 25 વર્ષ માટે ભારતના શહેરી વિકાસના રોડ મેપ બનાવવામાં સંમેલન કડીરૂપ બનશેઃ PM મોદી
    મુખ્ય શહેર 20-9-2022 11:00 AM
    • ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી સુશાસન વિભાગ દ્વારા બે દિવસીય ચાલનારા રાષ્ટ્રીય મેયર સંમેલનનો શુંભારંભ
    • પ્રધાનમંત્રીએ સંમેલનને સંબોધન કર્યું, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના હસ્તે  સંમેલનનો પ્રારંભ કરાયો, સંમેલનમાં ભાજપ શાસિત મેયર અને ડે.મેયર્સની હાજરી
    ગાંધીનગર

    ગાંઘીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સુશાસન વિભાગ દ્વારા બે દિવસય ચાલનારો  રાષ્ટ્રીય મેયર સંમેલનનો શુંભારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના હસ્તે કરવામાં આવ્યો હતો. મેયર સંમેલનમાં ભાજપ શાસિત રાજયોના મેયર અને ડે.મેયર્સ તેમના રાજયોમાં જે જે સારા કાર્યો કર્યા છે તે અંગે તેમજ શહેરી વિકાસમાં વધુ સારુ કાર્ય કેવી રીતે કરી શકાય તે માટે ચર્ચા કરવામાં આવશે. મેયર અને ડે.મેયરઓને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

    પ્રધાનમંત્રીએ સંબોધનમાં જણાવ્યું હતુ કે,આઝાદીના અમૃત કાળમાં આવનાર 25 વર્ષ માટે ભારતના શહેરી વિકાસના એક રોડ મેપ બનવવામાં આ સંમેલનની મહત્વની  ભૂમિકા રહેશે. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી અને તેમની ટીમને આ કાર્યક્રમનું આયોજન કરવા માટે  ખૂબ ખૂબ અભિનંદન. આપણા દેશના નાગરીકોએ ખૂબ લાબા સમયથી શહેરોના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ રાખ્યો છે તેને જાળવી રાખવો તે આપણા બઘાની જવાબદારી છે. જનસંઘથી લઇ અત્યાર સુધી સામાન્ય માણસને એક વિશ્વાસ છે કે ભાજપના કાર્યકર પાસે વિકાસની વ્યવસ્થા આવશે તો તેને સુપેરે નિભાવશે. અમદાવાદ શહેરની પણ એક અલગ ઓળખ છે. સરદાર વલ્લભભાઇ પટેલે પણ અમદાવાદના મેયરનું નેતૃત્વ સંભાળ્યું હતું. અહીથી તેમની શરૂઆત થઇ અને દેશના પ્રઘાનમંત્રી પદ સુઘી પહોંચ્યા હતા. સરદાર વલ્લભભાઇ પટેલે વર્ષો પહેલા જે મ્યુનિસીપલ કોર્પોરેશન ક્ષેત્રે જે કામ કર્યુ છે તેને આજે પણ બહુ સન્માન સાથે યાદ કરવામાં આવે છે. અંહી ઉપસ્થિત મેયરોએ પણ તેમના શહેરને તે સ્તર સુઘી લઇ જવાનો પ્રયાસ કરવાનો છે કે આવનારી પેઢી તમને યાદ કરે કે ભાજપના લોકો સત્તામાં આવ્યા પછી અહી પરિવર્તન આવ્યું છે. 

    વધુમાં જણાવ્યું કે, સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ વિચાર ભાજપના કાર્યકરોએ અપનાવ્યો છે. આ મંત્ર આપણા સાશનના ગર્વનન્સ મોડલ,શહેરી વિકાસમાં પણ આ મંત્ર સાર્થક થતો દેખાય છે. ગુજરાતની જનતા જનાર્દનની સેવા કરવાની મને પણ પહેલા તક મળી. ગુજરાતમાંથી મને ઘારાસભ્ય બનવાની તક મળી પછી જનતાએ મુખ્યમંત્રી બનવાના આશિર્વાદ આપ્યા. ગુજરાતમાં ઘણા વર્ષો પહેલા જી-ઓટોની શરૂઆત થઇ હતી. ગુજરાતમાં વર્ષો પહેલા મલ્ટી મોડલ કનેકટીવીટી પર કામ થયું. આ સમેંલનમાં ઉપસ્થિત મેયર અને ડે.મેયર એક બીજાના કામથી ઘણુ શીખી શકશે. 

    વધુમાં જણાવ્યું કે, આઝાદીના અમૃતકાળમાં આજે ભારત અર્બન ઇન્ફાસ્ટ્રકચર પર મોટુ રોકાણ કરી રહ્યુ છે. 2014 સુઘી આપણા દેશમાં મેટ્રો નેટવર્ક 250 કિ.મીથી પણ ઓછુ હતું આજે દેશમાં મેટ્રો નેટવર્ક 775 કિ.મી થી પણ વધી ગયું છે. એક હજાર કિ.મીના નવા મેટ્રો રૂટ પર આજે કામ ચાલી રહ્યુ છે. આપણો પ્રયાસ છે કે આપણા શહેરો હોલીસ્ટીક લાઇફસ્ટાઇલ નું કેન્દ્ર બને આજે 100 થી વધુ શહેરોમાં સ્માર્ટ સુવિઘાનું નિર્માણ થઇ રહ્યુ છે. અત્યાર સુઘી દેશભરમાં 75 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેકટ પુર્ણ થયા છે. આપણા શહેરોની મોટી સમસ્યા અર્બન હાઉસિંગની હોય છે. ગુજરાતમાં હજારો ઘરો ઝુપડીમાં રહેતા ગરીબ વ્યકિતીઓને પાકા મકાન આપવાનું અભિયાન ચલાવ્યું. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સમગ્ર દેશમાં અંદાજે સવા કરોડ ઘર લોકોને આપવામાં આવ્યા છે. 2014 પહેલા શહેરી ગરીબોના ઘર માટે 20 હજાર કરોડની જોગવાઇ હતી તે પાછલા આઠ વર્ષમાં 2 લાખ કરોડથી પણ વધુની જોગવાઇ કરવામાં આવી છે. આ આંકડો શહેરી ગરીબો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા દેખાડે છે. પ્રજા વચ્ચે જઇ કામ કરવાનો પ્રયાસ કરવામાં આવે. મધ્યમવર્ગ ના લોકોના ઘરના સ્વપ્નને સાકાર કરવા પણ સરકારે હજારો કરોડ રૂપિયાની મદદ કરી છે. આપણે રેરા જેવા કાયદા બનાવી લોકોના હિત સુરક્ષીત કર્યા. ભાજપના મેયરના રૂપમાં અને શહેરના પ્રથમ નાગરીકના રૂપમાં રીયલ એસ્ટેટ સેકટરને સારી અને ટ્રાન્સફરન્સ બનાવવાની આપ સૌની જવાબદારી છે. શહેરમાં બિલ્ડીંગનું ટ્રાન્સપરન્ટ ઓટીંડ થાય તે જરૂરી છે. જૂની બિલ્ડિગ પડી જવી અને બિલ્ડિંગમાં આગ લાગવી તે ચિંતાનો વિષય છે. 

    તેમણે ઉમેર્યું કે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માત્ર ચૂંટણીને ધ્યાને રાખી વિચાર કરીને કામ ન કરે. ચૂંટણીલક્ષી વિચારો થકી શહેરોનો વિકાસ ન કરી શકાય. આર્થિક ગતીવિધીઓના મહત્વપુર્ણ સેન્ટરના રૂપમાં શહેરોના પ્લાનિંગમાં આપણે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. શહેરોમાં અર્બનરાઇજેશન થતુ જ રહેવાનું છે, શહેરોની જનસંખ્યા વધતી જવાની છે તેને ધ્યાને લઇ શહેરોમાં કાર્યો કરવામાં આવે જેથી શહેરોમાં ટુરિઝમ વધે, કોઇ પણ પ્રોડકટ માટે જાણીતુ બને, શહેરોની અલગ ઓળખ બને તેનું ધ્યાન રાખવુ. શહેરોના પ્લાનિગનું પણ ડિસેન્ટ્રલાઇજેશન થવું જોઇએ. રાજય સ્તરે પણ શહેરોનું પ્લાનિગ થવું જોઇએ. આયોજનપુર્વક ટીઅર-2,ટીઅર-3 સીટીને ડેવલોપ કરવામાં આવે તો મહાનગરમાં જે દબાણ વધે છે તે ઓછુ થશે નાના શહેરોમાં રોજગાર વઘે તેવા પ્રયાસ કરવામાં આવે. 

    વધુમાં જણાવ્યું કે, શહેરના વિકાસ માટે ખર્ચ પણ મોટો થાય છે જેથી શહેરના લોકોને વિકાસ માટે થતા ખર્ચાની જાણ થવી જરૂરી છે. ગરીબ પરિવારના બાળકો માટે વર્ષમાં એક વાર પરિવાર સાથે સંમેલન કરવામાં આવે તેમના બાળકોના ટેલેન્ટને નિખારવામાં મદદ કરવામાં આવે. શહેરોની સમસ્યા સુઘારવા આપણે આપણી આદત બદલવી જરૂરી છે. નાગરીકોની જીવનશૈલીમાં પરિવર્તન કરવું જરૂરી છે. વીજળી બચાવવા, સ્વચ્છતા અંગે,પાણી બચાવવા,ટેકસ સમયસર ભરવા જાગૃતિ લાવવા નાગરીકોના સ્વભાવને બદલવા પ્રયાસ કરવામાં આવે. નાગરિકોમાં જાગૃતિ લાવવા નિબંધ સ્પર્ઘા, રેલી, જુદા-જુદા સંમેલન કરવા જોઇએ. નવી પેઢી ને દિશા આપવાની જરૂર છે આપણે વિકસીત ભારત બનાવવાનું છે. ભાજપ સાશિત મેયરોનું કામ કાજ અલગ તરી આવવું જોઇએ. 

    આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ સંબોઘન કરતા જણાવ્યું કે, આ સમેંલનમાં મહાનગરના વિકાસમાં મેયર અને ડે.મેયરની  ભૂમિકા શું હોવી જોઇએ, નગરવિકાસમાં જે કેન્દ્ર સરકારે કેવી યોજનાઓ બનાવી શકાય, સંગઠન સાથે સમન્વય કેવી રીતે સાંઘી શકાય તે ઉપર ચર્ચા કરવામાં આવશે. આ મેયર સંમેલનમાં સમગ્ર દેશભરમાંથી  ભાજપ સાશિત મેયર અને ડે.મેયરઓએ કેવી રીતે  કામ કરવુ, કેવી રીતે કોર્પોરેશનની છબી સુઘરે,છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!