• સુરત-મહુવા ટ્રેનને દામનગર ખાતે સ્ટોપેજ મળતાં સ્થાનિકોમાં ખુશીની લહેર
    મુખ્ય શહેર 25-1-2023 09:53 AM
    સુરત મહુવા ટ્રેનને દામનગર ખાતે સ્ટોપેઝ આપવામાં આવે તેવી માંગ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને તેઓની આ માંગને સ્વીકારી લેવામાં આવી છે. દામનગર હીરા ઉઘોગનું હબ છે અને ત્યાંથી 6 કિલોમીટર પ્રખ્યાત ભુરખીયા હનુમાનજી દાદાનું ધામ આવેલું છે. મુબઈ-સુરત અને સમગ્ર દેશમાંથી લાખો ભક્તજનો ભુરખીયા દાદાના દર્શને આવતા હોવાથી સુરત મહુવા ટ્રેનને દામનગર ખાતે સ્ટોપેઝ આપવામાં આવે તેવી લોકોની માંગણી હતી. જેથી આ મામલે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ગંભીરતાથી લઇ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ દ્વારા સુરત-મહુવા સપ્તાહમાં પાંચ દિવસ ટ્રેનને દામનગર ખાતે સ્ટોપેઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. દામનગર ખાતે સુરત મહુવા ટ્રેનને સ્ટોપેઝ મળવાથી લાખો ભક્તજનો અને નાગરિકોમાં ખુશીની લહેર વ્યાપી ગયી છે. જેથી આ તબક્કે સુરત ડાયમંડ એસોસિએશન માન.કેન્દ્રીય દર્શનાબેન જરદોશને અને રેલ્વ મંત્રાલયનો હૃદયથી ખુબ ખુબ આભાર માન્યો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!