• શ્રાવણમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુએ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યાં
    ગુજરાત 2-9-2022 11:46 AM
    • સોશિયલ મીડિયાના માધ્યમથી 12.75 કરોડ શ્રદ્ધાળુએ દેશ-વિદેશમાં ઘરે બેઠા સોમનાથ મહાદેવના દર્શન કર્યાં
    સોમનાથ

    શ્રાવણ માસનો પ્રારંભ તા.29 જુલાઇના રોજ થયેલો અને તા.27 ઓગસ્ટના શ્રાવણની પૂર્ણાહુતી થઈ હતી. શ્રાવણ માસની પૂર્ણીમા,ચાર સોમવારો,જન્માષ્ટમી,સાતમ-આઠમ, અગીયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં   ઉજવાયા હતા. સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 10 લાખ થી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવારો દરમ્યાન યોજાતી પાલખીયાત્રા, માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતિ યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.

    શ્રાવણ માસ પર્યન્ત દેવાધિદેવ સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા 390 ધ્વજા રોપણ, 510 સોમેશ્વર મહાપૂજન, 84 સવાલક્ષ બિલ્વપૂજા, 6865 રૂદ્રાભિષેક, 2,493 બ્રાહ્મણભોજન સહિતની પુજાવિધિ સાથે  4595 મહામૃત્યુંજય મંત્રજાપ  કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ પર્યન્ત શ્રી સોમનાથ યજ્ઞશાળા ખાતે વિશ્વકલ્યાણ માટે યોજવામાં આવતા મહામૃત્યુજય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. જેના કારણે માસ પર્યન્ત 16,088 યાત્રીકો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી આમ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને 3,37,848 યજ્ઞઆહુતિ અર્પણ કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં 90 હજાર થી વધુ ભક્તોએ ભોજનપ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી.
    શ્રાવણમાસમાં સોમનાથ મહાદેવના દર્શન કરોડો લોકોને ઘરે બેઠા થઈ શકે તેના માટે સોશ્યલ મીડીયા મહત્વનું માધ્યમ બન્યુ હતું. જેમાં ટ્રસ્ટ દ્વારા વિવિધ શોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર 45 દેશમાં વસતા 12.75 કરોડ થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના નિત્યદર્શન, પુજા, આરતી, જીવંત પ્રસારણ સહિતનો લાભ લીધો હતો. 

    પ્રસાદ, પુજાવિધિ, દાન સહિતમાંથી 5.90 કરોડની આવક
    શ્રાવણ માસ દરમિયાન યાત્રીકો દ્વારા સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા પુજાવિધિ,ડોનેશન સ્વરૂપે કેશ, ઇ-પેમેન્ટ, કાર્ડ સ્વાઇપ, દ્વારા 2.37 કરોડની રકમ અર્પણ કરવામાં આવી છે. 30.23 લાખની કુલ કિમતના ધાર્મિક પૂજાવિધિ માટે ઉપયોગમાં લઈ શકે તેવા ચાંદિના સીક્કા યાત્રીકોએ સ્મૃતિ ચિહ્ન તરીકે ખરીદ્યા હતા. સોમનાથ મહદેવની પ્રસાદી સ્વજનો માટે સાથે લઈ જવા માટે યાત્રીઓમાં હમેશા ઉત્સાહ જોવા મળે છે. ત્યારે યાત્રીઓની સુલભતા માટે શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ  કાઉન્ટર શરૂ કરાયા હતા, જેનો લાભ લઇ યાત્રીઓ પોતાના અને સ્વજનો માટે 3.23 કરોડનો પ્રસાદ સાથે લઇ ગયેલ હતા. મંદિરની પ્રસાદ, પુજાવિધી, ડોનેશન,ચાંદીના સીક્કા સહિતની કુલ આવક 5.90 કરોડ જેટલી થયેલ હતી. 

    અનેક મહાનુભાવોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો
    શ્રાવણ દરમિયાન અનેક મહાનુભાવોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં દેશના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડું જી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યસભા સાંસદ પ્રકાશ જાવડેકર, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય, ગુજરાત રાજ્યના મંત્રીઓમાં જીતુ વાઘાણી, પુર્ણેશ મોદી, કુબેર ડીંડોર, નરેશ પટેલ, મનિષાબેન વકીલ, ઉપરાંત કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સહિતના મહાનુભાવો સોમનાથ પધાર્યા હતા.

    દર્શનાર્થીઓ
    ફેસબુક 7 કરોડ
    યુટ્યુબ 2.80 કરોડ
    ઇન્સ્ટાગ્રામ 1.94 કરોડ
    ટ્વિટર 9 લાખ
    કુ એપ 2.71 લાખ
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!