જળ વ્યવસ્થાપનમાં AIનો થશે ઉપયોગ, વડાપ્રધાન મોદીએ રજૂ કર્યો ભવિષ્યલક્ષી માર્ગ.
નવી દિલ્હી: દેશમાં પાણીના વધુ અસરકારક અને વૈજ્ઞાનિક સંચાલન માટે ટેક્નોલોજીનો વ્યાપ વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. જળશક્તિ મંત્રાલયના વિભાગીય સંમેલનમાં તેમણે મજબૂત Water Data Governance વ્યવસ્થા વિકસાવવાની સાથે પાણી સંબંધિત ડેટાના વિશ્લેષણમાં Artificial Intelligenceનો વધુ વ્યાપક ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વડાપ્રધાને જણાવ્યું કે દેશના વિવિધ વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા, માંગ, વપરાશ અને ભવિષ્યની જરૂરિયાતો અંગે વધુ સચોટ માહિતી મેળવવા માટે આધુનિક ટેક્નોલોજી મહત્વપૂર્ણ બની શકે છે. AI આધારિત data analysis દ્વારા વરસાદ, જળાશયો, ભૂગર્ભ જળ, સિંચાઈ અને પાણીના વપરાશ સંબંધિત માહિતીનું વધુ અસરકારક વિશ્લેષણ થઈ શકે છે.


























