‘અનંત યુદ્ધ નહીં, હવે યુદ્ધનો અંત જરૂરી’: પુતિન સમક્ષ PM મોદીનો શાંતિનો સ્પષ્ટ સંદેશ.
બિશ્કેક: શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટની સાઇડલાઇન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ વૈશ્વિક સંઘર્ષો અંગે ભારતનું શાંતિ કેન્દ્રિત વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે હવે વિશ્વે લાંબા સમય સુધી ચાલતા યુદ્ધોથી આગળ વધીને યુદ્ધનો અંત લાવવાની દિશામાં કામ કરવું જોઈએ. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે યુદ્ધનો દરેક દિવસ માનવજાતને પાછળ ધકેલી રહ્યો છે. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં તમામ પક્ષોએ શાંતિપૂર્ણ માર્ગ, સંવાદ અને રાજદ્વારી પ્રયાસોને પ્રાથમિકતા આપવી જરૂરી છે.














