નવસારીમાં સંગઠનને મળશે ડિજિટલ શક્તિ, PM મોદીના હસ્તે AI આધારિત ‘નમો કમલમ’નું લોકાર્પણ.
નવસારી: દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનાત્મક માળખાને વધુ આધુનિક અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે નવસારીમાં નવનિર્મિત જિલ્લા કાર્યાલય ‘નમો કમલમ’ તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવસારીની મુલાકાત દરમિયાન આ અત્યાધુનિક કાર્યાલયનું લોકાર્પણ કરશે. વડોદરામાં વિકાસકાર્યો અને યુવા સંવાદનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નવસારી પહોંચશે. અહીં તેઓ ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરી પક્ષના કાર્યકરો અને સ્થાનિક આગેવાનોને સંબોધશે.

























