રામ મંદિર ટ્રસ્ટને મળ્યું નવું પ્રશાસનિક નેતૃત્વ, એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા બન્યા પ્રથમ CEO.
અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોતાના પ્રશાસનિક માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રસ્ટે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને પોતાના પ્રથમ Chief Executive Officer (CEO) તરીકે પસંદ કર્યા છે. અયોધ્યામાં યોજાયેલી ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન CEOની પસંદગી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા CEOની નિમણૂક સાથે રામ મંદિરના સંચાલન, વહીવટ અને ભવિષ્યના આયોજનને વધુ સુવ્યવસ્થિત અને વ્યાવસાયિક માળખું મળવાની અપેક્ષા છે.

























