₹22 હજાર કરોડના ક્લેમ સામે ₹6.25 કરોડની ચુકવણીના પ્લાન પર બ્રેક, NCLTની પાંચ સભ્યોની વિશેષ બેન્ચે જૂના આદેશ પર લગાવી રોક.
નવી દિલ્હી: Zee Groupના સ્થાપક અને Essel Groupના ચેરમેન સુભાષ ચંદ્રાની વ્યક્તિગત દેવાળિયા કાર્યવાહી સાથે જોડાયેલા હાઈ-પ્રોફાઇલ કેસમાં National Company Law Tribunal (NCLT)એ મહત્વપૂર્ણ હસ્તક્ષેપ કર્યો છે. NCLTની પાંચ સભ્યોની વિશેષ બેન્ચે 25 ઓગસ્ટના તે આદેશના અમલ પર રોક લગાવી દીધી છે, જેના આધારે સુભાષ ચંદ્રા દ્વારા રજૂ કરવામાં આવેલા ₹6.25 કરોડના repayment planને મંજૂરી મળ્યાનું માનવામાં આવી રહ્યું હતું. આ કેસમાં સુભાષ ચંદ્રા સામે personal guarantor તરીકે કુલ ₹22,006.57 કરોડના claims રજૂ કરવામાં આવ્યા હતા. તેની સામે ચંદ્રાના repayment planમાં પાત્ર creditorsને માત્ર ₹6.25 કરોડ ચૂકવવાનો પ્રસ્તાવ હતો, જ્યારે insolvency processના ખર્ચ માટે અલગથી ₹25 લાખની જોગવાઈ કરવામાં આવી હતી.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


