અનુદાનિત શાળાઓમાં પારદર્શિતા વધારતું શિક્ષણ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર.
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક, જવાબદાર અને સમાવેશી બનાવવાની દિશામાં રાજ્ય વિધાનસભાએ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિધાનસભાએ ગુરુવારે બહુમતીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક-2026 પસાર કર્યું હતું. વિધેયકનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર પાસેથી આર્થિક અનુદાન મેળવતી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ના નિયમનકારી વ્યાપમાં લાવવાનો છે. આ વ્યવસ્થાથી અનુદાનિત શાળાઓમાં ભરતી, લાયકાત, વહીવટ અને નિયમોના પાલન અંગે એકસમાન માળખું ઊભું થઈ શકશે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


