મોદી સરકારમાં નવી ઊર્જાની તૈયારી? કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ અને નવા ચહેરાઓને તક મળવાની ચર્ચા.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારમાં આગામી સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ અથવા મહત્વપૂર્ણ ફેરબદલની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. આગામી રાજકીય અને પ્રશાસનિક પડકારોને ધ્યાનમાં રાખીને સરકારમાં નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી શકે તેવી અટકળો ચાલી રહી છે. ચર્ચા મુજબ સંભવિત ફેરબદલનો મુખ્ય હેતુ સરકારની કામગીરીને વધુ અસરકારક બનાવવાનો, વિવિધ રાજ્યો અને સામાજિક સમીકરણોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો તેમજ નવી પેઢીના નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ આપવાનો હોઈ શકે છે. કેટલાક અહેવાલોમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં આશરે 17 નવા ચહેરાઓને સ્થાન મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



